||██|▌|||▌||▌PROFILE |||▌|||█||▌|

x

શ્રી સારસ્વત મિત્રો !

ખુશ છું ઘણો .

મારા બ્લોગ માં આજે 20.000 visitors નો આંકડો પાર કરવા પહોંચ્યો.મારા દરેક મુલાકાતીઓનો, મિત્રો, ગુરુઓ અને શુભેચ્છકોનો ખુબ ખુબ આભાર.........

નમસ્કાર આપ સૌનું સ્વાગત કરું છું. ટેકનોલોજીના આ અદ્યતન યુગમાં દુનિયા ખુબજ નાની અને અદભૂત બનતી જાય છે, ત્યારે માહિતીનું આદાન પ્રદાન પણ ઝડપી હોયજ એ સ્વાભાવિક બાબત છે. પરંતુ શાળા ની એક જવાબદારી જયારે આપણા શિરે હોય ત્યારે આપણે શિક્ષણના સંવાહકો આ ટેકનોલોજીને સ્વીકારવામાં થોડા પણ પાછળ રહી જઈશું તો ? આપ સહુ તો વિવેકી અને વિચારશીલ છો. તો ચાલો આપણે સહુ સાથે મળીને આ વર્તમાન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક,ઝડપી અને પરિણામલક્ષી બનાવીઆપણા વ્યક્તિત્વને, શાળાને અને આ દેશના ભવિષ્યને પથદર્શક બની આપણું કર્તવ્ય પૂરું કરીએ,
આ ''http://vantdaprimaryschool.blogspot.in/''દવારા આપ સહુને મળવાનો આંનંદ થશે, ઉપલબ્ધ માહિતીઓ આપ વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. ખાસ તો શાળાનું પરિણામ અને તેનો રેકર્ડ સારી રીતે સચવાય તે બાબતને ધ્યાનમાં રાખી છે. આપના શૈક્ષણિક ક્ષેત્રોના અનુભવોનો લાભ એકબીજાને મળી રહે તેવા શુભ હેતુ સાથે અમારી પાસે ઉપલબ્ધ માહિતી, પરિપત્રો, પરિરૂપ, પદ્ધતિઓ, પ્રવિધિઓ, કે શાળા ઉપયોગીસાહિત્યને પ્રદર્શિત-કરવાનો-પ્રયત્ન કર્યો છ...

http://vantdaprimaryschool.blogspot.com/

બ્લોગ ધ્વારા અમે અમારી શાળાના બાળકોના સર્વાંગિં વિકાસ માટેની અમારી શાળામાં ચાલતી પ્રવ્રુતીઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે



સૌ વાંચક મિત્રોને ખૂબ ખૂબ અને શુભ શુભ શુભકામનાઓ…


██▌▌▌પુવાર યુવરાજસિંહ રામક્રિશ્નસિંહ ▌██▌
9426087276 , 9426187276 , 9426287276 .

Swatchhata Award

Swatchhata Award

.....

our village ''vantda''

School Arial View....







શિક્ષક—શા માટે બનવું?


શિક્ષક—શા માટે બનવું? “મોટા ભાગે શિક્ષકો એ પસંદ કરે છે, કેમ કે એનાથી બીજાને મદદ મળે છે. [શિક્ષણ આપવું] એવું કામ છે, જેનાથી બાળકોનાં જીવન બદલાઈ શકે છે.”—શિક્ષકો, સ્કૂલો અને સમાજ (અંગ્રેજી). આજે સ્કૂલમાં ઘણી જ મુશ્કેલીઓ છે. એક ક્લાસમાં ઘણા વિદ્યાર્થીઓ લેવામાં આવ્યા હોય, કેટલી બધી જાતની લખાણપટ્ટી હોય, સ્કૂલમાં રાજકારણ પણ ચાલતું હોય, છોકરાં માનતા ન હોય, અને પાછું ઉપરથી ઓછો પગાર. સ્પેઈન, મૅડ્રિડના પેડ્રો નામે એક શિક્ષક આમ કહે છે: “શિક્ષકની નોકરી કંઈ રમત વાત નથી. એ તમારો ત્યાગ માંગી લે છે. જો કે મુશ્કેલીઓ છતાં, મને શિક્ષકનું કામ બીજી કોઈ પણ નોકરી કરતાં વધારે ગમે છે.” મોટા ભાગના દેશોના શહેરોની સ્કૂલોમાં નોકરી કરવી અઘરું બની શકે. ડ્રગ્સ, ગુના, નીતિ-નિયમોનો ભંગ, અને કોઈ વખત માથાભારે માબાપ, સ્કૂલોના વાતાવરણ અને શિસ્તને ભારે અસર કરી શકે. જ્યાં જુઓ ત્યાં સત્તા વિરુદ્ધ વલણ જોવા મળે છે. તો પછી, શા માટે ઘણા શિક્ષકો બનવાનું પસંદ કરે છે? લીમેરીઝ અને ડાયેના ન્યૂ યૉર્ક સીટીમાં ટીચર તરીકે નોકરી કરે છે. તેઓ પાંચથી દસ વર્ષના બાળકોને ભણાવે છે. તેઓ બંને અંગ્રેજી અને સ્પેનિશ ભાષા જાણે છે, અને મોટા ભાગે સ્પેનિશ સમાજના બાળકોને સાચવે છે. અમે તેઓને પૂછ્યું . . . તેઓ શા માટે ટીચર બન્યા? લીમેરીઝે કહ્યું: “હું શા માટે ટીચર બની? મને બાળકો બહુ ગમે છે. મને ખબર છે કે અમુક બાળકોને માટે હું જ બધું છું. તેઓ બધી જ રીતે મારા પર આધાર રાખે છે.” ડાયેનાએ કહ્યું: “હું આઠ વર્ષના મારા ભત્રીજાને ભણાવતી, જેને સ્કૂલમાં ખાસ કરીને વાંચવાની મુશ્કેલી પડતી હતી. તેને અને બીજાઓને પ્રગતિ કરતા જોઈને મને ઘણો જ સંતોષ મળતો! તેથી, મેં નક્કી કર્યું કે મારે ટીચર બનવું જ જોઈએ, એટલે બૅંકની નોકરી છોડી દીધી.” સજાગ બનો! દ્વારા આ જ પ્રશ્ન બીજા કેટલાક દેશોમાંના શિક્ષકોને પૂછવામાં આવ્યો. નીચે કેટલાક જવાબો જણાવાયા છે. ઇટાલીના લગભગ ૪૦ની ઉંમરના જુલિયાનોએ સમજાવ્યું: “મેં આ કામ પસંદ કર્યું, કેમ કે હું વિદ્યાર્થી હતો (જમણી બાજુ) ત્યારે, મને એ ખરેખર ગમતું. બીજાઓ પ્રગતિ કરે એ માટે મદદ કરવા આ સૌથી સારું કામ હતું. મારા આ ઉત્સાહને કારણે શરૂઆતમાં મને જે મુશ્કેલીઓ નડી, એ હું સહન કરી શક્યો.” ઑસ્ટ્રેલિયા, ન્યૂ સાઊથ વૅલ્સના નીક નામના શિક્ષકે કહ્યું: “કેમિકલ સંશોધનના કામમાં બહુ ઓછી નોકરી હતી. પરંતુ, શિક્ષણ વિભાગમાં તો જોઈએ એટલું કામ મળી રહે એમ હતું. ખરું પૂછો તો, મને ભણાવવું ગમે છે અને વિદ્યાર્થીઓને પણ મારી સાથે મઝા આવે છે.” શિક્ષક બનવાની પસંદગી કરનારા પર ઘણી વાર માબાપના ઉદાહરણની પણ અસર પડે છે. અમારા પ્રશ્નનો જવાબ આપતા, કેન્યાના વિલિયમે કહ્યું: “મારા પિતા ૧૯૫૨માં શિક્ષક હતા, તેમની પ્રેરણાથી મને પણ શિક્ષક બનવાની તમન્ના જાગી. યુવાનોના ફૂલ જેવા કૂમળા મનોને હું કેળવું છું, એનાથી મને આ કામ કરતા રહેવાની હોંશ જાગે છે.” કેન્યામાં રહેતી રોઝમેરીએ અમને જણાવ્યું: “મારા મનની એ ઇચ્છા હતી કે મારી જરૂર હોય, તેઓને હું મદદ કરું. નર્સ અને ટીચરમાંથી મારે પસંદગી કરવાની હતી. ટીચર તરીકેની ઑફર પ્રથમ આવી. તેમ જ, હું બાળકોની મા પણ છું, તેથી ટીચર બનવાનું મેં પસંદ કર્યું.” જર્મનીના ડ્યુરેનથી આવતા બેરટોલે શા માટે શિક્ષકનું કામ પસંદ કર્યું? તે કહે છે: “મારી પત્ની મને વારંવાર કહેતી કે હું સારો શિક્ષક બની શકું છું.” તેની વાત સાચી પડી. તેણે જણાવ્યું: “હવે શિક્ષક તરીકે કામ કરવું મને ગમે છે. જ્યાં સુધી શિક્ષક પોતે શિક્ષણનું મૂલ્ય ન સમજે, અને મન મૂકીને યુવાનોને ન શીખવે, ત્યાં સુધી તે સારો, સફળ કે કુશળ ટીચર બની જ ન શકે.” નાકાત્સુથી આવતા માસાહીરો નામના જાપાનના એક ટીચરે કહ્યું: “હું શિક્ષક બન્યો, એનું કારણ એ છે કે હું સ્કૂલમાં હતો ત્યારે મારા પોતાના શિક્ષક સારા હતા. તેમણે પૂરી લગનથી અમને શિક્ષણ આપ્યું. વળી, મને બાળકો ખૂબ જ ગમે છે. આ કારણોથી હું મારા કામમાં ટકી રહ્યો છું.” જાપાનનો જ યોશિયા હવે ૫૪ વર્ષનો છે. તેને ફેક્ટરીમાં સારા પગારની નોકરી હતી, પણ આવવા-જવાની મુસાફરીથી તે કંટાળી જતો. તે કહે છે: “એક દિવસ મેં વિચાર્યું કે, ‘ક્યાં સુધી આવું ચાલ્યા કરશે?’ આખરે, મેં નિર્ણય કર્યો કે એવી નોકરી શોધવી, જેમાં મશીનો સાથે માથા મારવા કરતાં લોકો સાથે કામ કરવાનું થાય. શિક્ષકની નોકરી એકદમ બરાબર હતી. યુવાનો સાથે કામ કરવાનું અને તેઓને શિખવવાની મને મઝા આવે છે.” રશિયા, સેન્ટ પીટર્સબર્ગની વેલેન્ટિનાને પણ એ જ ગમે છે. તેણે કહ્યું: “શિક્ષક તરીકેની નોકરી મેં પસંદ કરી. હું છેલ્લા ૩૭ વર્ષથી પ્રાથમિક શાળાની ટીચર છું. મને બાળકોને શિખવવાની ખૂબ જ મજા આવે છે. મને મારું કામ ખૂબ ગમે છે, એટલે જ હું હજુ રીટાયર્ડ થઈ નથી.” વિલિયમ ઐયર જે પોતે પણ શિક્ષક છે, તેમણે લખ્યું: “લોકો શિક્ષક બને છે, કેમ કે તેઓને બાળકો અને યુવાનો ગમે છે. તેઓની સાથે કામ કરવું અને તેઓને પ્રગતિ કરતા જોવું, એ મોટો આનંદ લાવે છે. તેઓને દુનિયામાં હોંશિયાર અને કુશળ થતા જોવાથી શિક્ષકોને મોટો સંતોષ મળે છે. . . . શિક્ષકો વિદ્યાર્થીઓ માટે કિંમતી ભેટ સમાન છે. હું દુનિયાને વધારે સારી બનાવવાની આશાથી બાળકોને ભણાવું છું.” ખરેખર, કેટલી બધી મુશ્કેલીઓ હોવા છતાં, હજારો સ્ત્રી-પુરુષો શિક્ષકનું કામ કરે છે. ખાસ કરીને તેઓને કઈ સમસ્યાઓ નડે છે? હવે પછીનો લેખ એ વિષે ચર્ચા કરશે. [પાન ૬ પર બોક્સ] કઈ રીતે ટીચર-માબાપ વચ્ચે સારા સંબંધો બાંધી શકાય? ✔ માબાપને સારી રીતે ઓળખો. એ કંઈ સમયનો બગાડ નથી, પણ લાભદાયી છે. તમને મુશ્કેલીના સમયે જેઓ ટેકો આપી શકે, તેઓની સાથે સારો સંબંધ કેળવવાની એ સૌથી સારી તક છે. ✔ શિક્ષકોની ભાષા ન વાપરો. પરંતુ, માબાપ સમજે એ રીતે બોલો અને તેઓનું માન જાળવો. ✔ તેઓના બાળક વિષે વાત કરતી વખતે, તેના સારા ગુણો પર ભાર મૂકો. ટોક ટોક કરવાને બદલે, પ્રશંસા કરીને ટેકો આપો. માબાપ બાળકને પ્રગતિ કરવા કઈ રીતે મદદ કરી શકે, એ સમજાવો. ✔ માબાપને બોલવા દો, અને તેઓને શાંતિથી સાંભળો. ✔ બાળકના ઘરનું વાતાવરણ સમજવા પ્રયત્ન કરો. શક્ય હોય તો તેઓને ઘરે જાવ. ✔ ફરીથી માબાપને મળવાનો ચોક્કસ દિવસ નક્કી કરો. એ મહત્ત્વનું છે. એ બતાવશે કે તમે ખરેખર તેઓનું ભલું ચાહો છો.

Video - Vantda Primary School Modasa Sabarkantha Yuvrajsinh Puwar Dscn2042

Video - Vantda Primary School Modasa Sabarkantha Yuvrajsinh Puwar Dscn2042

આ સઘળાં ફૂલો ને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે. મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું, સ્વીમિંગપુલના સઘળાં નિયમોનું પાલન કરવાનું. દરેક કુંપળને કોમ્પ્યુટર ફરજીયાત શીખવાનું, લખી જણાવો વાલીઓને તુરત જ ફી ભરવાનું. આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે, કોયલને પણ કહી દેવું ના ટહુકે ભર બપોરે. અમથું કંઈ આ વાદળીઓને એડમિશન દેવાનું? ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું. એક નહિ પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો, આઉટ ડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો.

એક એવી નિશાળ હોય. એક એવી નિશાળ હોય.અહીં છોકારાંની જ સત્તા હોય. ના હોય હોમવર્ક ને ના આવું જ બીજું કઈ કામ હોય. અહી આવીને બસ મજા જ મજા સૌને આવતી હોય. એક એવી નિશાળ હોય. એક એવી નિશાળ હોય,અહીં છોકરાંની જ ઈચ્છા હોય. ના ભણવાનું બસ ક્યારે અહી બધું જાણવા માટે જ હોય. અહી બેસીને શું શું છે અવનવું તેણે જ બસ માણવાનું હોય. એક એવી નિશાળ હોય. એક એવી નિશાળ હોય,અહીં છોકરાંની જ સેવા હોય હોય. ના કોઈ ફી કે ફી ને નામે તેના જેવા બીજા જ ચાળા હોય. ગુરુજીનો સાચો પ્રેમ હોય, આ પ્રેમમાં જ સાચું ભણતર હોય. એક એવી નિશાળ હોય
ઇકોક્લબ એટલે શાળાના પ્રકૃતિ પ્રેમ વધરવા માટેનું એક માધયમ. અહીં બાળકોને પ્રકૃતિની નજીક લઇ જવમાં આવે છે.
શાળામાં ચાલતી કેટલીક ઇકોકલ્બની પ્રવૃત્તિ -

વાંચનપર્વ


વિદ્યાર્થી અને શિક્ષકમાં ઈતરવાંચન દ્વારા તેમની મૌલિકતા ભાષા અભિવ્યકિતમાં તથા વિવિધ કૌશલ્યો, સામાજિક જાગૃતતા, દેશપ્રેમ, રાષ્ટ્રિયતાનો ખ્યાલ તથા તેમાં રહેલી અન્ય શક્તિઓ વિશેષ વાંચન દ્વારા પોતાની કારકિર્દી ઘડતર માટે જરૂરી છે. તેના દ્વારા સામાન્ય જ્ઞાનની વૃધ્દ્રિ થાય છે. દેશ વિદેશથી માહિતગાર થાય છે. આ હેતુસર ગત વર્ષની માફકશાળામાં- વાંચનપર્વ ઉજવવામાં આવ્યું.

જેમાં ધોરણવાર અને પોતાની ક્ષમતા અનુસાર તમામ વિદ્યાર્થીઓ વાંચતા થાય તે માટે શિક્ષકોના સહયોગથી જુદા-જુદા પ્રકારના પુસ્તકો દ્રારા વિદ્યાર્થીઓમાં વાંચનપ્રેમની ઓળખ તૈયાર કરવામાં આવી.
દરેક વિદ્યાર્થીને વેકેશનમાં પોતાની રસ અને રૂચિ અનુસાર પુસ્તકો વાંચવા આપવામાં આવ્યા અને આ પુસ્તક માંથી સૌથી વધારે પસંદ આવેલ પ્રસંગ વિશે પોતાની મૌલીકતા ખીલવવા પોતાની જાતે કઈક લખે તેવું આયોજન કરવામાં આવ્યું.
અલગ અલગ ગ્રૃપમાં સફારી, વિજ્ઞાન દર્શન, જુદા-જુદા વૈજ્ઞાનિકો અને તેમના જીવન પરિચયની પુસ્તિકાઓ, વિવેક સુધા, બાલવિર, જેવા સામાયિકો અને પુસ્તકો મહાપુરૂષ ના જીવન ચરિત્રો પરના વાંચવા માટે આપવામાં આવ્યા.
હર વર્ષની માફક શાળાની પ્રાર્થના સભામાં ધોરણવાર મહાન વ્યક્તિની પુસ્તિકાઓ બાળકોને અગાઉથી વાંચવા આપી તેમના પર પ્રાર્થના સભામાં તે વ્યકિત પર પોતાનું પ્રવચન આપે તેવું આયોજન કરવામાં આવ્યું.
આ ઉપરાંત સમાચાર પત્રોમાં આવતા જુદાજુદા વિજ્ઞાનના લેખો, સાહિત્ય પરના લેખો, સામાન્ય જ્ઞાનની માહીતિઓ પોતે જાતે જ એકઠી કરી જુદા જુદા વિજ્ઞાનમંડળ, ગણિતમંડળ, સાહિત્યમંડળ જેવા મંડળોની સ્થાપના કરી શાળાના નોટિસ બોર્ડ પર પોતે જ લગાવે અને તમામ વિદ્યાર્થીઓઆ માહિતી વાંચતા થાય તે પ્રકારનું આયોજન ગોઠવવામાં આવ્યું.
આ ઉપરાંત કોઈ પણ મહાન વ્યકિતની જન્મ તેમજ મૃત્યુ તીથી અંગે અને તેમના જીવનચરિત્ર તથા તેમની વિશેષતાઓની વાત આ શાળાની પ્રાર્થના સભામાં શિક્ષકમિત્રો આપે કે જેથી બાળકો તેમના વીશે વધારે વાંચવા અને ઈતર વાંચનની ભુખ ઉધડે તેવા પ્રયત્નો કરીને વિદ્યાર્થી માત્ર પરિક્ષાર્થી ન રહેતા વિદ્યાર્થી બની શકે. તેવી હેતુ ચરિતાર્થ કરવાનુ આયોજન કરવામાં આવ્યું.

પ્રાર્થના

શ્લોક
યા કુન્દેન્દુ તુષાર હાર ઘવલા યા શુભવસ્ત્રાવૃતા
યા વીણાવર દહડ માણ્ડન કરા યા શ્વેતપર્ધાસના !
યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુ તિભિઃ દેવૈ સદા વન્દિતા !!
સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યા પહા

ધૂન
રઘુપતિ રાઘવ રાજા રામ !,પતિન પાવન સીતા રામ !
ઈશ્વર અલ્લા તેરે નામ !,સબકો સન્મતિ દે ભગવાન
રાત્રે નિંદ્રા દિવસે કામ,ક્યારે ભજશું શ્રી ભગવાન
રઘુપતિ રાઘવ
ધૂન
તારો છે આશરોને તારો આધાર
કિષ્ન કનૈયા બંસી બજૈયા (2)
તારે આધારે અમે જઈશું ભવપાર
કિષ્ન કનૈયા બંસી બજૈયા (2)
નિર્ધન નરસૈયાને વેવાઈ ધનવાન
તાર સાચવવાના મોઘા મહેમાન (2)
લાજ જશે મારી તો તુ છે ગુને ગાર
કિષ્ન કનૈયા બંસી બજૈયા (2)

ધૂન
રઘુપતિ રાઘવ રાજા રામ !,પતિન પાવન સીતા રામ !
ઈશ્વર અલ્લા તેરે નામ !,સબકો સન્મતિ દે ભગવાન
રાત્રે નિંદ્રા દિવસે કામ,ક્યારે ભજશું શ્રી ભગવાન
રઘુપતિ રાઘવ

વાંટડા (બોલુન્દ્રા) ગામની સામાન્ય રુપરેખા -



વાંટડા (બોલુન્દ્રા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૩ (તેર) તાલુકાઓ પૈકીના એક એવા મોડાસા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. વાંટડા (બોલુન્દ્રા) ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

મોડાસા તાલુકા ની સામાન્ય રુપરેખા -


મોડાસા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. મોડાસા આ તાલુકાનું મુખ્ય મથક છે.

સાબરકાંઠા જિલ્લાની સામાન્ય રુપરેખા :-



ભૌગોલિક સ્થાન: ૨૩.૦૩૦ થી ૨૪.૩૦ ઉ.અક્ષાંશ અને ૭૨.૪૩ થી ૭૩.૩૯ પૂ. રેખાંશ
કુલ ક્ષેત્રફળ: ૭,૩૯૦ ચો.કિ.મી.
આબોહવા: શિયાળામાં ઓછામાં ઓછું તાપમાન ૯o સે., ઉનાળામાં મહત્તમ તાપમાન ૪૯o સે., સામાન્ય રીતે વિષમ આબોહવા
જમીન: ગોરાડું, કાળી, ખડકાળ, પથ્થરીયાળ, રેતાળ, ડુંગરાળ તેમજ ખડકોવાળી
નદીઓ: સાબરમતી, ખારી, મેશ્વો, હાથમતી, હરણાવ, વાત્રક, માજુમ
પાક: ડાંગર, બાજરી, કપાસ, ઘઉં, જુવાર, તમાકુ, મગફળી, એરંડા, રાયડો
કુલ ગામ: ૧,૩૮૯
ગ્રામ પંચાયતની સંખ્યા : ગ્રામ પંચાયત - ૭૧૪, જૂથ ગ્રામ પંચાયત - ૩૨૫
નગરપાલિકા: ૨
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૮ અહીંથી પસાર થાય છે.

ચલી ચલી રે પતંગ મેરી ચલી રે..., view ..............






મકરસંક્રાંતિ અને 14 જાન્યુઆરી એક-બીજાના પર્યાય માનવામાં આવે છે. સામાન્ય લોકો માટે અન્ય તહેવારોની તારીખ નક્કી નથી હતો પણ ઉત્તરાયણની તારીખ નક્કી હોય છે. આ વખતે ઉત્તરાયણ 15 જાન્યુઆરીએ મનાવવામાં આવશે.

આવું કેમ? તેનું કારણ એ છે કે સૂર્યનો ધનથી મકર રાશિમાં પ્રવેશ 14મી મધ્યરાત્રી પછી થશે. પંડિતોનું માનીએ તો સન 2047 પછી મોટાભાગે 15 જન્યુઆરીએ જ ઉત્તરાયણ મનાવાશે. અધિકમાન, ક્ષય માસને લીધે ઘણીવાર 15 જાન્યુઆરીએ સંક્રાંતિ મનાવવામાં આવશે.

આ પહેલા સન 1900થી 1965 દરમિયાન 25 વખત મકર સંક્રાંતિ 13 જાન્યુઆરીએ મનાવવામાં આવી હતી. તે પહેલા આ પર્વ 12- અને 13 તારીખે મનાવવવામાં આવતો હતો. પં. લોકોશ જાગીરદારના કહેવા પ્રમાણએ સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. તેમની કુંડળીમાં સૂર્ય મકર રાશિમાં હતો તે સમયે 12 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ હતી. 20મી સદીમાં સંક્રાંતિ 13-14 જાન્યુઆરીએ તથા હાલ 14 તો ક્યારેક 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ આવે છે. 21મી સદી સમાપ્ત થતા-થતાં સંક્રાંતિ 15-16 જાન્યુઆરીએ મનાવવામાં આવશે.

આ છે કારણઃ-

સૂર્ય દર મહિનામાં રાશિ પરિવર્તન કરે છે. એક રાશિની ગણના 30 અંશની હોય છે. સૂર્ય એક અંશની લંબાઈ 24 કલાકમાં પૂરી કરે છે. પંચાંગ કર્તા ડો. વિષ્ણુ કુમાન શર્માનું કહેવું છે કે અયનાંશ ગતિમાં અંતરને લીધે 71-72 વર્ષમાં એક અંશ લંબાઈનું અંતર આવે છે. અંગ્રેજી કેલેન્ડરના હિસાબે એક વર્ષમાં 365 દિવસ અને છ કલાકનો હોય છે, એવી વખતે પ્રત્યેક ચોથુ લર્ષ લીપ ઈયર પણ હોય છે. ચોથા વર્ષમાં આ સિવાય છ કલાક જોડાઈને એક દિવસ બને છે. આ કારણે મકર સંક્રાંતિ દર ચોથા વર્ષે એક દિવસ પછી મનાવવામાં આવે છે.

દર વર્ષે અડધો કલાક મોડુ થાયઃ-

-દર વર્ષ સૂર્યનું આગમન 30 મિનિટ પછી થાય છે. દર ત્રીજા વર્ષે મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ એક કલાક મોડેથી થાય છે. 72 વર્ષમાં આ અંત એક દિવસનો હોય છે. જો કે અધિકમાન-ક્ષયમાસને લીધે સમાયોજન થતું રહે છે(પંડિતોના કહેવા પ્રમાણે)

સંક્રાંતિની સ્થિતિઃ- 13 જાન્યુઆરીએ હતી. સન્ 1900, 01, 02, 1905, 06, 09, 10, 13, 14, 17, 18, 21, 22, 25, 26, 29, 33, 37, 41, 45, 49, 53, 57, 61 1965 માં

આ વર્ષોમાં 15મી આવશે ઉત્તરાયણઃ-

-2012, 16, 20, 21, 24, 28, 32, 36, 40, 44, 47, 48, 51, 52, 55, 56, 59, 60, 63, 64, 67, 68, 71, 72, 75, 76, 79, 80, 83, 84,86, 87, 88, 90, 91, 92, 94, 95, 99 અને 2100 માં(પંચાગોમાં મળેલી જાણકારી પ્રમાણે)


આ વર્ષે 15મી એ જ ઉત્તરાયણ મનાવવું શાસ્ત્ર સમ્મતઃ- સૂર્યને એક રાશિથી બીજી રાશિમાં પરિવર્તન સંક્રાંતિ છે. સૂર્યનો ધનમાંથી મકરમાં પ્રવેશ 14મી જાન્યુઆરીએ રાત્રે 12-58 મિનિટે થશે. આ સ્થિતમાં ધર્મ શાસ્ત્ર અનુસાર આ પર્વ 15મીએ મનાવવો શાસ્ત્ર સમ્મત ગણાશે. પં. અરવિંદ પાંડેના કહેવા પ્રમાણે 14 જાન્યુઆરીએ મોડી રાત પછી સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ થઈ રહ્યો છે. એવી વખતે સંક્રાંતિ પુષ્યકાળ 15 જાન્યુઆરીએ મનાવાવમાં આવશે. પુણ્યકારનો અર્થ છે સ્નાન-દાન વગેરે.


મકર સંક્રાંતિ છે શ્રેષ્ઠ અવસર: ગ્રહોને અનુકૂળ થશે આવી ઉપાસનાથી
સંક્રાંતિ પર સ્નાન સાથે બોલો આ સૂર્ય સ્નાન.. થશે ખૂબ જ પ્રગતિ
મકર સંક્રાંતિ: આ ઉપાય અપાવશે મનગમતી નોકરી
ઉત્તરાયણ પર કરો આ ઉપાય, તમે પણ બની જશો માલામાલ
ઉત્તરાયણ : રાશિ પ્રમાણેના દાનથી, મળશે અનેક ગણું ફળ
.. તો આ માટે ઉત્તરાયણ પર ચગાવાય છે પતંગ!
આ વખતે ઉત્તરાયણ ક્યારે? 14 કે 15 જાન્યુઆરીએ?
મકર સંક્રાંતિ પર ગંગા સ્નાનનું મહત્વ કેમ?
ઉત્તરાયણ: સૂર્ય ઉપાસના પાછળ છુપાયેલું છે આ રહસ્ય
ઉત્તરાયણ પછી જ ભીષ્મએ શા માટે પ્રાણ ત્યાગ્યો હતો?